જ્યારે કોર્ટે દ્રૌપદીના ચીરહરણનો ઉલ્લેખ કર્યો: પંજાબની એક ઘટનાની ગંભીર નોંધ લેવાઈ
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09042024_054722_Justice.jpeg)
- 09 Apr, 2024
પંજાબના તરનતારન વિસ્તારમાં એક મહિલાને નગ્ન ફેરવવાના એક મામલાની પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે આ અંગે ટિપ્પણી કરતા નોંધ્યું છે કે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. આ અંગે પોલીસને સખ્ત કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટે આ અંગે નોંધ્યું છે કે આ ઘટના મહાભારતમાં કૌરવો દ્વારા કરવામાં આવતા દ્રૌપદીના ચીર હરણની ઘટનાની યાદ અપાવે છે.
તરનતારન જિલ્લામાં 55 વર્ષીય મહિલાને કથિત રીતે તેના સાસરિયાો દ્વારા માર મારવામાં આવ્યા પછીથી નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. પોલીસના જણાવ્યાં મુજબ, પીડિત મહિલાની એક છોકરીએ તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. આ ઘટનામાં ગત છ એપ્રિલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે પાંચમા આરોપીની પછીથી ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે જસ્ટિસ વશિષ્ઠે કહ્યું કે આ ઘટનાને જોતા મને મહાભારતના સમયની યાદ આવી, જેમાં કૌરવોના આદેશ પર દ્રૌપદીનું ચીર હરણ કરવામાં આવ્યું હતું અને ભીષ્મ પિતામહ સહિતના પાંડવોએ આ અંગે મોન રાખ્યું હતું, જેના પગલે મહાભારતનું યુદ્ધ થયું હતું અને તેમાં હજારો લોકોના મૃત્યું થયા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ