:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જ્યારે કોર્ટે દ્રૌપદીના ચીરહરણનો ઉલ્લેખ કર્યો: પંજાબની એક ઘટનાની ગંભીર નોંધ લેવાઈ

top-news
  • 09 Apr, 2024

પંજાબના તરનતારન વિસ્તારમાં એક મહિલાને નગ્ન ફેરવવાના એક મામલાની પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે આ અંગે ટિપ્પણી કરતા નોંધ્યું છે કે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. આ અંગે પોલીસને સખ્ત કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટે આ અંગે નોંધ્યું છે કે આ ઘટના મહાભારતમાં કૌરવો દ્વારા કરવામાં આવતા દ્રૌપદીના ચીર હરણની ઘટનાની યાદ અપાવે છે. 

તરનતારન જિલ્લામાં 55 વર્ષીય મહિલાને કથિત રીતે તેના સાસરિયાો દ્વારા માર મારવામાં આવ્યા પછીથી નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. પોલીસના જણાવ્યાં મુજબ, પીડિત મહિલાની એક છોકરીએ તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. આ ઘટનામાં ગત છ એપ્રિલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે પાંચમા આરોપીની પછીથી ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે જસ્ટિસ વશિષ્ઠે કહ્યું કે આ ઘટનાને જોતા મને મહાભારતના સમયની યાદ આવી, જેમાં કૌરવોના આદેશ પર દ્રૌપદીનું ચીર હરણ કરવામાં આવ્યું હતું અને ભીષ્મ પિતામહ સહિતના પાંડવોએ આ અંગે મોન રાખ્યું હતું, જેના પગલે મહાભારતનું યુદ્ધ થયું હતું અને તેમાં હજારો લોકોના મૃત્યું થયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎