:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રાજા બાબુ શિંદેની પાર્ટીમાં જોડાયો: લોકસભાની ચુંટણીમાં ઊભો રહેશે...

top-news
  • 29 Mar, 2024

રાજકીય કારકિર્દીના 14 વર્ષના લાંબા વિરામ બાદ ફરી એક વાર ફિલ્મ અભિનેતા ગોવિંદાએ મહારાષ્ટના રાજકારણમાં ઝંપલાવ્યું છે, તેમને ગુરુવારે શિવસેનાના નેતા એકનાથ શિંદે સાથે મુલાકાત કરીને પોતાની બીજી રાજકીય ઇનિંગના શ્રી ગણેશ કર્યા હતા. તેઓ હવે મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે.

જો આમ થશે તો ગોવિંદાનો સામનો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તિકર સાથે થશે. જોકે સીએમ શિંદે કહી રહ્યા છે કે, ગોવિંદા કોઈ શરત સાથે શિવસેનામાં જોડાયા નથી. તેઓ ચોક્કસપણે તેમના ઉમેદવારો માટે પ્રચાર કરશે. આ એ જ ગોવિંદા છે જેમનું રાજકીય ડેબ્યૂ વર્ષ 2004માં થયું હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાંથી જીતીને સંસદ પહોંચ્યા હતા.

ગોવિંદા 20 વર્ષ પહેલા ઉત્તર મુંબઈ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના અનેક વખત સાંસદ અને શક્તિશાળી નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જોકે ગોવિંદાએ બાદમાં રાજકારણ છોડી દીધું હતું. જે બાદ તેના પર દાઉદ સાથે કનેક્શન હોવાનો પણ આરોપ લાગ્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકે દાવો કર્યો હતો કે, ગોવિંદાએ 2004ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તરથી તેને હરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને બિલ્ડર હિતેન ઠાકુરની મદદ લીધી હતી.

તેમણે તેમના પુસ્તક 'ચરૈવેતિ, ચરૈવેતિ' (આગળ વધતા રહો)માં પણ આનો ઉલ્લેખ કર્યો છે. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, ગોવિંદા દાઉદ અને ઠાકુર સાથે મિત્રો હતા. ચૂંટણીમાં મતદારોને ડરાવવા માટે તેણે આ બંનેનો સહારો લીધો હતો. નાઈકે એક ટીવી ચેનલ પર ગોવિંદાની ફિલ્મો ચલાવીને ચૂંટણીમાં ગોવિંદાને મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ગોવિંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, લોકોએ જ તેને જીતાડ્યો હતો. પોતાના પર લાગેલા આરોપો પર ગોવિંદાએ કહ્યું હતું કે મને તે સમયે કોઈના સમર્થનની જરૂર નહોતી. આવી વાતો કરીને રામ નાઈક કહેવા માંગે છે કે તે સંસદીય ક્ષેત્રના લોકોને અંડરવર્લ્ડને વેચી દેવામાં આવ્યા હતા. આવી વાતો કરીને કોઈનું અપમાન ન કરો.

ગોવિંદા સાંસદ બન્યા બાદ ગૃહમાં ગેરહાજર રહેતા લોકોમાં ટોપ પર હતા. તેઓ એક દિવસ પણ ગૃહની કાર્યવાહીમાં હાજર રહ્યા ન હતા. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ગૃહમાં એક પણ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો. જ્યારે પત્રકારોએ આ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે ગોવિંદાએ કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવા ઉપરાંત, થોડા વર્ષો પહેલા રાજસ્થાનમાં તેની પત્ની અને બે બાળકો સાથે થયેલા જીવલેણ અકસ્માત બાદ તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

ગોવિંદાએ 2009માં તેમની રાજકીય ઇનિંગ્સનો અંત આણ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસમાં તેમના હરીફોએ તેમના કાર્યકાળ દરમિયાન તેમના માટે અવરોધો ઉભા કર્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવનાર ગોવિંદાએ નકારી કાઢ્યું હતું કે, પાર્ટીએ તેમને કોઈ લાભ આપ્યો નથી. તેણે કહ્યું હતું કે, હું મારા જ પક્ષમાં શાબ્દિક રીતે કોર્નર થઈ ગયો હતો. કેટલાક લોકો મારી સાથે કામ કરવા માંગતા ન હતા. તેથી મેં ફરીથી ચૂંટણી લડવાને બદલે માત્ર પ્રચાર કરવાનું નક્કી કર્યું.

આ બધાની વચ્ચે હવે જ્યારે તેની ફિલ્મી કરિયર સારી નથી ચાલી રહી ત્યારે તેણે શિવસેના સાથે પોતાની બીજી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અભિનેતા ગોવિંદાના પ્રવેશ સાથે, મહાયુતિને સેલિબ્રિટી ટચ મળશે અને ગોવિંદાની સાથે, તેના સહ કલાકારો સહિત ઘણા સેલેબ્સ પણ પ્રચાર માટે હાજર રહેશે, જેનો ફાયદો શિવસેનાને થઈ શકે છે. તેઓ ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે.

શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદાએ એક અનુભવી નેતાની જેમ મીડિયા સાથે વાતચીત કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોવિંદાએ કહ્યું કે, તે રાજનીતિની બીજી ઇનિંગને ભગવાનનો સંદેશ માની રહ્યો છે, કારણ કે 2004 થી 2009 સુધી કોંગ્રેસના સાંસદ રહ્યા બાદ તેણે રાજકારણથી દૂરી લીધી હતી. હવે ગોવિંદા કહી રહ્યા છે કે, 14 વર્ષના વનવાસ પછી તેઓ એ જગ્યાએ આવ્યા છે જ્યાં વાસ્તવમાં રામ રાજ્ય છે. આ પ્રસંગે ગોવિંદા ભાવુક જોવા મળ્યો હતો. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎