ખેડાના ગોમતી તળાવની દુર્ઘટના : ધૂળેટીની ઉજવણી માં ત્રણ વિદ્યાર્થી ડૂબતાં મોત,
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26032024_060213_WhatsApp Image 2024-03-26 at 11.31.47 AM.jpeg)
- 26 Mar, 2024
દરવર્ષે ની જેમ આ વર્ષે પણ હોળી - ધૂળેટીનું પર્વ ધુમધામથી ઉજવવામાં આવ્યું હતું . આ વર્ષે પણ આ પર્વની ધડાકાભેર ઉજવણી ની સાથે કેટલીક અપ્રિય ઘટના પણ બની હતી. રાજ્યના જુદા -જુદા જિલ્લાઓ માં નદી-તળાવમાં ડૂબી જવાની કુલ આઠ ઘટનાઓ બની હતી, જેમાં 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાઓ ભાવનગર, ખેડા, કલોલ, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને આણંદમાં બની હતી
જેમાં વધુ મળેલી માહિતી મુજબ ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગત મુજબ વિદ્યાનગરની કોલેજમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓનું ગ્રૂપ ધૂળેટીની ઉજવણી કરવા વડતાલ આવ્યું હતું. તેમાંથી 5 વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા પડ્યા તે સમયે પગ લપસતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા.
મળતી માહિતી અનુસાર, તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બનાવની જાણ થતાં નડિયાદ ફાયબ્રિગેડની ટીમ સાથે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ત્રણેયના મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ