:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનની અથડામણ : ફિશિંગ બોટ સાત સભ્યોના ક્રૂ સાથે 13 માર્ચે ઓખાથી નીકળી હતી ...

top-news
  • 22 Mar, 2024

અરબી સમુદ્રમાં ભારતીય બોટ અને પાકિસ્તાનના જહાજ વચ્ચે અથડામણ થઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અથડામણમાં ભારતીય માછીમારોની બોટ દરિયામાં પલટી હોવાના પણ સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય માછીમારો અને પાકિસ્તાન મરીન સિક્યુરિટીના કર્મચારી દરિયામાં ડૂબ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ 5 ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીને પકડ્યા હોવાના અહેવાલ છે.

પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) સાથે “સંઘર્ષ” દરમિયાન ગુજરાત સ્થિત એક ફિશિંગ બોટ પલટી ગઈ હતી, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વ્યાપક શોધ અને બચાવ (SAR) શરૂ કર્યું હતું, અને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શોધ અને બચાવ કામગીરીમાં સામેલ લોકોએ જણાવ્યું કે, કેટલાક કાટમાળ મળી આવ્યા છે પરંતુ, ગુમ માછીમારની શોધ ચાલુ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિશિંગ બોટ સાત સભ્યોના ક્રૂ સાથે 13 માર્ચે ઓખાથી નીકળી હતી અને 4 એપ્રિલે બંદર પર પરત ફરવાની અપેક્ષા હતી.

જહાજે સાતમાંથી પાંચ ભારતીય માછીમારો અને ચાર PMSA કર્મચારીઓને બચાવવા માટે ઝડપી કાર્યવાહી કરી. જો કે, અફસોસની વાત એ છે કે, PMSA ખલાસીઓમાંથી એક, મુહમ્મદ રેહાન, પાછળથી શહીદ થયો, જ્યારે બાકીના બે ભારતીય માછીમારો હજુ પણ દરિયામાં ગુમ છે. ઘટના બાદ ભારતીય કોસ્ટ ગાર્ડે મોટા પાયે શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. “આ ઘટના વિશે ચેતવણી મળ્યા પછી અમે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતા જણાવ્યું હતું કે, “હેલિકોપ્ટર સાથે ચાર ICG જહાજોને આ વિસ્તારમાં વાળવામાં આવ્યા છે અને તેઓ ગુમ થયેલા માછીમારોને શોધવા માટે હવાઈ અને સપાટી પરની કામગીરી કરી રહ્યા છે.”

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎