:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ : પ્રચારમાં સરકારી મિલ્કતનો ઉપયોગ કર્યાનો આક્ષેપ ...

top-news
  • 21 Mar, 2024

ચુંટણીની તારીખો જાહેર થયા બાદ વિવિધ પાર્ટીઓ ના નેતા પ્રચારમાં જોડાઈ ગયા છે, તેની સાથે જ એકબીજા પર આચાર સંહિતા ભંગના આરોપ પ્રત્યારોપ પણ થવા લાગ્યા છે, હાલ માં બનેલ એક ઘટના માં ભાજપના નેતા વિરુદ્ધ  આચારસંહિતા ભંગની ફરિયાદો થઇ રહી છે. આ ઘટના પોરબંદરની છે. જ્યાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ થઇ છે. આરોપ છે કે તેમણે પ્રચારમાં સરકારી મિલ્કતનો ઉપયોગ કર્યો છે. વંથલી APMCમાં પ્રચાર સભા યોજાઇ હતી અને જમણવારનું પણ આયોજન કરાયુ. જેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

તો બીજી તરફ કોંગ્રેસની ફરિયાદને ભાજપે પાયાવિહોણી ગણાવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસની આ ફરિયાદમાં કોઈ દમ નથી. ભાજપે કાર્યક્રમ કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી. ઉપરાંત APMCમાં સભા બદલ 3500 રૂપિયા ભાડું ચુકવવામાં આવ્યું હતું. આમ ચૂંટણી પ્રચારમાં કોઈ પણ રીતે સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎