મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ : પ્રચારમાં સરકારી મિલ્કતનો ઉપયોગ કર્યાનો આક્ષેપ ...
- 21 Mar, 2024
ચુંટણીની તારીખો જાહેર થયા બાદ વિવિધ પાર્ટીઓ ના નેતા પ્રચારમાં જોડાઈ ગયા છે, તેની સાથે જ એકબીજા પર આચાર સંહિતા ભંગના આરોપ પ્રત્યારોપ પણ થવા લાગ્યા છે, હાલ માં બનેલ એક ઘટના માં ભાજપના નેતા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદો થઇ રહી છે. આ ઘટના પોરબંદરની છે. જ્યાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ થઇ છે. આરોપ છે કે તેમણે પ્રચારમાં સરકારી મિલ્કતનો ઉપયોગ કર્યો છે. વંથલી APMCમાં પ્રચાર સભા યોજાઇ હતી અને જમણવારનું પણ આયોજન કરાયુ. જેની સામે ફરિયાદ કરવામાં આવી છે.
તો બીજી તરફ કોંગ્રેસની ફરિયાદને ભાજપે પાયાવિહોણી ગણાવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસની આ ફરિયાદમાં કોઈ દમ નથી. ભાજપે કાર્યક્રમ કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી. ઉપરાંત APMCમાં સભા બદલ 3500 રૂપિયા ભાડું ચુકવવામાં આવ્યું હતું. આમ ચૂંટણી પ્રચારમાં કોઈ પણ રીતે સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ