:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ગઢચિરોલીમાં 4 માઓવાદીઓ માર્યા ગયા નક્સલવાદીઓના માથા પર 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ ...

top-news
  • 19 Mar, 2024

લોકસભાની ચુંટણીઓમાં અરાજકતા ફેલાવવાના ઉદેશ્યથી દેશમાં કેટલાય આતંકવાદી જૂથો હવે વધુ સક્રિય થઈ ગયા છે, એવામાં મહારાષ્ટ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મંગળવારે પોલીસ સાથેની અથડામણમાં ₹ 36 લાખની સામૂહિક ઇનામ ધરાવતા ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે કેટલાક નક્સલવાદીઓ પડોશી તેલંગાણામાંથી ગઢચિરોલીમાં પ્રણહિતા નદી પાર કરીને પ્રવેશ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણી માટે અમલી આચારસંહિતા વચ્ચે વિધ્વંસક પ્રવૃતિઓ હાથ ધરવાના હેતુથી, પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું.C-60 યુનિટની એક વિશિષ્ટ લડાયક એકમ, અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ક્વિક એક્શન ટીમને મંગળવારે સવારે રેપનપલ્લી નજીકના કોલામર્કા પર્વતોમાં શોધખોળ કરી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેનો સુરક્ષા કર્મચારીઓએ જવાબ આપતા ફાયરિંગ કર્યું  હતું , એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગોળીબાર બંધ થયા પછી, વિસ્તારની શોધ કરવામાં આવી હતી અને ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે તેઓના માથા પર ₹ 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ હતું.અધિકારીએ જણાવ્યું કે, તમની પાસેથી શોધખોળ કરતાં એક AK-47 બંદૂક, એક કાર્બાઇન, બે દેશી બનાવટની પિસ્તોલ, નક્સલ સાહિત્ય અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.મૃતક નક્સલવાદીઓની ઓળખ વર્ગેશ, મગતુ, અલગ-અલગ નક્સલ સમિતિઓના બંને સચિવ અને પ્લાટૂન સભ્યો કુરસંગ રાજુ અને કુદિમેટ્ટા વેંકટેશ તરીકે કરવામાં આવી છે, એમ પોલીસેઉમેર્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎