ગુજરાત હાઈકોર્ટેની GPCB-AMC સામે કડક કાર્યવાહી: સાબરમતી નદીને ગંદી કરવા બદલ કરી ટકોર ..
- 15 Mar, 2024
અમદાવાદની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું હોવાની રાવ ઉઠી રહી છે. આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના મહત્વપૂર્ણ દિશા સૂચક તારણો સામે છે.
ગુજરાત હાઈકોર્ટે તારણ નીકાળ્યું હતું કે, સાબરમતી નદીમાં છોડાતા પ્રદુષિત પાણી મુદ્દે એકમોને રાહત ન આપી શકાય. અત્રે જણાવીએ કે, વારંવાર ટકોર છતાં પ્રદુષિત પાણી છોડાઈ રહ્યું હોવાથી HCએ ગંભીર નોંધ લેતા કહ્યું હતું કે, નદીને પ્રદુષિત થતી અટકવવનો પ્રયાસ કરો વધારવાનો નહીં. GPCB હોય કે AMC અધિકારીઓને નોટિસ આપવા છતાંય કોઈ ગંભીરતા કેમ નહી ?. જવાબદારી સૌની છે એકની નહીં ત્યારે બેદરકારી તમામ રાખે તે કેમ ચલાવી લેવાય
હાઈકોર્ટે AMC અને GPCB અને કેટલાક એકમોને ટકોર કરતા કહ્યું હતું કે, 22 માર્ચ સુધી તમારો જવાબ આપો નહીં તો કોર્ટ આદેશ કરશે. હવે નદીને પદુષિત કરવાના મુદ્દે માફ નહીં કરીએ , સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીમાં પ્રદૂષણ મામલે અગાઉ હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. GPCBને પ્રદૂષણ ઉકેલવાનો આદેશ પણ આપ્યો હતો. AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સહિતના સાથે બેઠક કરવા પણ હાઈકોર્ટ દ્વારા અગાઉ આદેશ આપાયા હતા. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે દર વખતે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢે છે છતા પણ તંત્રનું પાણી ટસનું મસ થતું ન હોય તેવું લાગે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ