:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

ગુજરાત હાઈકોર્ટેની GPCB-AMC સામે કડક કાર્યવાહી: સાબરમતી નદીને ગંદી કરવા બદલ કરી ટકોર ..

top-news
  • 15 Mar, 2024

અમદાવાદની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું હોવાની રાવ ઉઠી રહી છે. આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના મહત્વપૂર્ણ દિશા સૂચક તારણો સામે છે.

ગુજરાત હાઈકોર્ટે તારણ નીકાળ્યું હતું કે, સાબરમતી નદીમાં છોડાતા પ્રદુષિત પાણી મુદ્દે એકમોને રાહત ન આપી શકાય. અત્રે જણાવીએ કે, વારંવાર ટકોર છતાં પ્રદુષિત પાણી છોડાઈ રહ્યું હોવાથી HCએ ગંભીર નોંધ લેતા કહ્યું હતું કે, નદીને પ્રદુષિત થતી અટકવવનો પ્રયાસ કરો વધારવાનો નહીં.  GPCB હોય કે AMC અધિકારીઓને નોટિસ આપવા છતાંય  કોઈ ગંભીરતા કેમ નહી ?. જવાબદારી સૌની છે એકની નહીં ત્યારે બેદરકારી તમામ રાખે તે કેમ ચલાવી લેવાય 

હાઈકોર્ટે AMC અને GPCB અને કેટલાક એકમોને ટકોર કરતા કહ્યું હતું કે, 22 માર્ચ સુધી તમારો જવાબ આપો નહીં તો કોર્ટ આદેશ કરશે. હવે નદીને પદુષિત કરવાના મુદ્દે માફ નહીં કરીએ , સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીમાં પ્રદૂષણ મામલે અગાઉ હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. GPCBને પ્રદૂષણ ઉકેલવાનો આદેશ પણ આપ્યો હતો. AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સહિતના સાથે બેઠક કરવા પણ હાઈકોર્ટ દ્વારા અગાઉ આદેશ આપાયા હતા. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે દર વખતે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢે છે છતા પણ તંત્રનું પાણી ટસનું મસ થતું ન હોય તેવું લાગે છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎