:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો: કુંનાર હેમબ્રમે લીધો રાજકારણમાંથી સન્યાસ

top-news
  • 09 Mar, 2024

એક તરફ ભાજપમાં અન્ય પક્ષોના નેતાઓના જોડાવાની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો લાગ્યો છે. આગામી લોકસભા ચૂંટણી વચ્ચે પાર્ટીના સાંસદ કુંનાર હેમબ્રમે શનિવારે લોકસભા સભ્યપદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કુનાર હેમબ્રમ પશ્ચિમ બંગાળના ઝારગ્રામથી ભાજપના સાંસદ હતા. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કુંનાર હેમબ્રમે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેમણે અંગત કારણોસર પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. હેમબ્રમે કહ્યું કે પાર્ટી છોડવાનો આ યોગ્ય સમય છે કારણ કે લોકસભા ચૂંટણીમાં બીજા કોઈને તક મળશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજીનામું સ્વીકારવામાં આવ્યું કે નહીં તે અંગે તેઓ જાણતા નથી પરંતુ તેમણે રાજીનામું આપ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે. તેના જવાબમાં હેમબ્રમે કહ્યું કે તે હવે રાજકારણમાં રહેવા માંગતા નથી. ન તો તે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અને ન તો કોઈ પાર્ટીના સંપર્કમાં છે. ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે હેમબ્રમ થોડા દિવસો પહેલા જ પાર્ટી છોડવાના નિર્ણયની જાણકારી આપી હતી. કુનાર હેમબ્રમે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ્યની મમતા સરકારે તેમના પર નિશાન સાધ્યું છે. ટીએમસી સાંસદ શાંતનુ સેને કહ્યું કે હારનો અહેસાસ થતાં  હેમબ્રમે  રાજીનામું આપી દીધું છે. સાંસદે કહ્યું કે  હેમબ્રમે જાણે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ આ સીટ ગુમાવશે. આ જ કારણ છે કે તેમણે ચૂંટણી પહેલા જ પદ અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.

 આ પહેલા ટીએમસીના દિગ્ગજ નેતા તાપસ રોયે ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. સેનની વિદાયને મમતા સરકાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હવે બીજેપી સાંસદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળ પર ઘણું ફોકસ કરી રહ્યું છે. ભાજપ સંદેશખાલીના મુદ્દે રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહી છે અને આ મુદ્દાને ઉઠાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. ભાજપ કોઈપણ રીતે રાજ્યમાં 2019 કરતા વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે. 2019માં ભાજપે લોકસભાની 42માંથી 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં પાર્ટી આ વખતે પોતાની સીટો વધારવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎