કોમર્શિયલ જહાજ પર થયો ડ્રોન હુમલો , 21 ક્રૂ મેમ્બરને બચાવ્યા નૌકાદળના INS કોલકાતાએ આપ્યો જડબાતોડ જવાબ
- 07 Mar, 2024
દિવસે ને દિવસે સમુદ્રમાં જહાજો પરના હુમલામાં વધારો થઈ રહ્યો છે. ક્યારેક ચાંચિયાઓ દ્વારા તો ક્યારેક ડ્રોનની મદદથી વ્યાવસાયિક જહાજોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, અને તેમની પાસેની માલમત્તા લૂટી લેવામાં આવી રહી છે, આવી પરિસ્થિતિમાં ભારતીય નૌસેના આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે.
ભારતીય નૌકાદળના INS કોલકાતાએ એડનના અખાતમાં એક વ્યાવસાયિક જહાજના ક્રૂને બચાવ્યો. આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. જ્યારે નેવીને આના સમાચાર મળ્યા તો તરત જ મદદ મોકલવામાં આવી. ભારતીય નેવીએ હેલિકોપ્ટર અને બોટની મદદથી 21 ક્રૂના જીવ બચાવ્યા. આ પહેલા પણ ભારતીય નેવીએ અદલ ગલ્ફમાં ડ્રોન હુમલામાં મદદ કરી હતી.
બાર્બાડોસ-ધ્વજવાળું કોમર્શિયલ શિપ કેરિયર MV Trueconfidence એડનના અખાતમાં ડ્રોન દ્વારા અથડાયા બાદ તેના પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય નૌકાદળને આના સમાચાર મળ્યા, ત્યારે તેઓએ મદદ માટે ગલ્ફમાં તૈયાર INS કોલકાતા મોકલી. INS કોલકાતા મારફતે નૌકાદળના હુમલાના જહાજ સુધી પહોંચ્યા. તેઓએ બોટ અને હેલિકોપ્ટરની મદદથી જહાજમાંથી ક્રૂને બચાવ્યા. ભારતીય નૌકાદળે એક ભારતીય નાગરિક સહિત 21 ના ક્રૂને બચાવ્યા હતા.
ભારતીય નૌકાદળએ જણાવ્યું હતું કે, બાર્બાડોસ-ધ્વજવાળા બલ્ક કેરિયર MV ટ્રુ કોન્ફિડન્સ પર એડનના અખાતથી લગભગ 54 નોટિકલ માઇલ દક્ષિણ પશ્ચિમમાં ડ્રોન/મિસાઇલ હુમલા બાદ આગની જાણ કરવામાં આવી હતી. આગ એટલી ભયંકર હતી કે જહાજનો ક્રૂ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ક્રૂએ લાઇફ વોટ લઇને દરિયામાં જવું પડ્યું. આ પછી, INS કોલકાતા લગભગ પોણા પાંચ વાગ્યે સ્થળ પર પહોંચી અને હેલિકોપ્ટર-વોટની મદદથી 21 ક્રૂના જીવ બચાવ્યા. ક્રૂને જરૂરી તબીબી સહાય પણ આપવામાં આવી હતી.થોડાક દિવસ પહેલા પણ આવું જ ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં નેવીએ 13 ભારતીય નાગરિકો સહિત 23 ક્રૂને બચાવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ