:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પર હુમલો : તેમના કાફલાની ખૂબ નજીક રશિયાની મિસાઈલે હુમલો કર્યો, માંડ-માંડ બચ્યાં

top-news
  • 07 Mar, 2024

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને  બે વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયો છે. જેમાં અનેક લોકોના મોત અને કેટલાય લોકો ઘાયલ થયા છે. પરંતુ આ યુદ્ધ રોકવાનું નામ લેતું નથી,એવામાં  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ગ્રીસના વડાપ્રધાનને મળવા જતા હતા તે દરમિયાન તેમના કાફલાની ખૂબ નજીક રશિયાની મિસાઈલે હુમલો કર્યો હતો, જેમાં ઝેલેન્સ્કી માંડ-માંડ બચ્યાં હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુક્રેનના રાષ્ટ્રપતિ અને ગ્રીસના વડાપ્રધાન ઓડેસામાં મળવાના હતા. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કાફલો ગ્રીક એમ્બેસી પહોંચ્યો ત્યારે લગભગ 100 મીટરના અંતરે મિસાઈલ હુમલો થયો હતો. નોંધનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ગયા મહિને જ બે વર્ષ પૂરા થયા હતા. ઘણા પ્રયત્નો છતાં બંને દેશો વચ્ચે હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ શકી નથી. થોડા-થોડા દિવસે સતત ડ્રોન હુમલા અને મિસાઈલ હુમલાના અહેવાલો આવતા રહે છે.

આ યુદ્ધને લઈને યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સરવેમાં ખૂબ જ રસપ્રદ વાત કહેવામાં આવી છે, જેમાં યુરોપના મોટાભાગના લોકો રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સમર્થન આપે છે. જો કે, 10માંથી માત્ર એક જ માને છે કે યુદ્ધમાં યુક્રેન જીતી શકે છે, જ્યારે મોટાભાગના લોકો માને છે કે આ યુદ્ધ માત્ર કરાર દ્વારા જ સમાપ્ત થઈ શકે છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણાને બદલે જવાબી કાર્યવાહીનું સમર્થન કરે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎