આંદોલનકારી ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે માર્ચને જોતા પોલીસે ટીકરી, સિંધુ-ગાજીપુર બોર્ડર પર સુરક્ષા વધારી
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06032024_052336_WhatsApp Image 2024-03-06 at 10.52.55 AM.jpeg)
- 06 Mar, 2024
દેશમાં ખેડૂતો છેલ્લા કેટલાય સમય થી MSP સહિત પોતાની ઘણી માગણીઓને લઈ આંદોલન કરી રહ્યા છે. પોલીસ અને તેમની વચ્ચે સંઘષ સતત વધી રહ્યો છે, બીજી બાજુ ખેડૂતો અને સરકાર વચ્ચે તેમની માંગણી માટે બેઠકોના દોર પણ ચાલી રહ્યા છે,પરંતુ બંને વચ્ચે સમાધાન થતું નથી. એવામાં ફરીથી આંદોલનકારી ખેડૂતો એ આજે દિલ્હી તરફ કૂચ કરવાની ઘોષણા કરી છે.તેને લઈ રાજધાનીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ટિકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે અને મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેશન પર કડક નજર રાખવામાં આવી રહી છે. પોતાની ઘણી માગણીઓને લઈ ખેડૂત લાંબા સમયથી પંજાબ-હરિયાણાને અડીને આવેલી શંભૂ અને ખનૌરી બોર્ડર પર છે. ખેડૂત સંગઠનોએ બુધવારે દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી.
ખેડૂત નેતા સરવન સિંહ પંધેર અને જગજીત સિંહ ડલ્લેવાલે 3 માર્ચે દેશભરના ખેડૂતોને પ્રદર્શન માટે બુધવારે દિલ્હી પહોંચવાનું આહ્વાન કર્યુ હતું. તેમને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી સહિતની વિવિધ માંગણીઓના સમર્થનમાં 10 માર્ચે 4 કલાક માટે દેશવ્યાપી રેલ રોકો આંદોલનનું પણ આહ્વાન કર્યું હતું. તેમને કહ્યું કે ખેડૂતોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને માગણીઓ પુરી થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.
ખેડૂતોની માર્ચને જોતા દિલ્હી પોલીસે ટીકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી છે. આમ તો પહેલાથી જ સરહદો પર પહેલાથી જ જવાનોની તૈનાતી છે. 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. તે સિવાય રેલવે અને મેટ્રો સ્ટેશનો પર પણ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે ખેડૂતોની ટ્રેન અને બસ ભરીને આવવાની સંભાવના છે. રેલવે અને મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેશન પર વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળને તૈનાત કરવામાં આવી ચૂક્યુ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ