:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેન્દ્ર સરકારે પોસ્ટલ બેલેટ નાખવાની લઘુત્તમ ઉંમર વધારીને 85 વર્ષ કરી દેશમાં 80 વર્ષથી વધુ વરિષ્ઠ નાગરિકોની સંખ્યા 1.75 કરોડ

top-news
  • 02 Mar, 2024

લોકસભાની ચુંટણીની જાહેરાત કરતાં  પહેલા કેન્દ્ર સરકારે ચુંટણી પંચ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો ,જેમાં 85 થી વધ વયના નાગરિકો માટે પોસ્ટલ બેલેટ સુવિધાનો અનુરોધ કર્યો હતો તેથી હવે મતદાન કેન્દ્રો પર પહેલા કરતા વધુ વૃદ્ધોની લાઈન જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટેની વય મર્યાદા 80 થી વધારીને 85 વર્ષ કરી દીધી છે. એનો અર્થ એ કે હવે 85 વર્ષથી ઓછી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરવા માટે ફરજિયાતપણે મતદાન કેન્દ્રો પર જવું પડશે. આ અગાઉ 80 વર્ષથી ઉપરના વૃદ્ધોને પોસ્ટલ બેલેટની સુવિધા મળી હતી.

કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ શુક્રવારે ચૂંટણી સંચાલન નિયમો (1961)માં સુધારો કર્યો હતો. સરકારે છેલ્લી 11 વિધાનસભા ચૂંટણીમાં વૃદ્ધોની વોટિંગ પેટર્નને ધ્યાનમાં રાખી આ ફેરફાર કર્યો છે. આ ચૂંટણીઓમાં 80 વર્ષથી ઉપરના 97 થી 98% વૃદ્ધોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાને બદલે મતદાન કેન્દ્રો પર જઈને મતદાન કરવાનું પસંદ કર્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે 2020માં કરવામાં આવેલી આ જોગવાઈમાં સુધારો કર્યો છે.

ચૂંટણી સંચાલન નિયમોના નિયમ 27A પ્રમાણે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ, ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કર્મચારીઓ અને સેનાના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવી છે. 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓને પણ મહામારી દરમિયાન આ સુવિધા આપવામાં આવી હતી.

મત ગણતરી દરમિયાન સામાન્ય રીતે સૌથી પહેલા પોસ્ટલ બેલેટની જ ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ ઈવીએમમાં ​​નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટની સંખ્યા ઓછી છે અને તે પેપર વાળા મતપત્ર હોય છે તેથી તેની ગણતરી પણ સરળતાથી થઈ જાય છે. 

ચૂંટણી પંચે એ 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી જ્યાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ બેઠકમાં એવું બહાર આવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના માત્ર 2-3% મતદારોએ પોસ્ટલ બેલેટ માટે પસંદગી કરી હતી અને બાકીના લોકોએ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવાનું પસંદ કર્યું હતું. દેશભરમાં 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોની કુલ સંખ્યા 1.75 કરોડ છે જેમાંથી 80-85 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા 98 લાખ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎