:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

WTO ના મંચ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ રાજદૂતની બદલી થાઈલેન્ડના રાજદૂતને વતન પરત ફરવા આદેશ

top-news
  • 02 Mar, 2024

ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના  બાદ થાઈલેન્ડે WTOમાં થાઈલેન્ડના રાજદૂતને હટાવવાની ફરજ પડી હતી. એક ટોચના અધિકારીએ આ માહિતી આપી હતી. 

અધિકારીએ જણાવ્યું કે થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) 13મી મંત્રી પરિષદ (MC-13)માંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એવી માહિતી છે કે થાઈલેન્ડના વિદેશ સચિવને હવે તેમની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી હતી. 

મંત્રી સ્તરની મંત્રણા પાંચમા દિવસમાં પ્રવેશી ગઈ છે. અધિકારીએ કહ્યું કે ભારતે મંગળવારે સલાહ સૂચન માટેની બેઠક દરમિયાન પીટફિલ્ડની ટિપ્પણીઓ પર ભારે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે નવી દિલ્હી પર આરોપ લગાવ્યો હતો કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) પર ચોખા ખરીદવાનો કાર્યક્રમ લોકો માટે નથી, પરંતુ નિકાસ બજારને કબજે કરવા માટે છે.

જેની સામે ભારતે ઔપચારિક રીતે થાઈલેન્ડ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને WTOના વડા, કૃષિ સમિતિના વડા કેન્યા અને UAE સમક્ષ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેના વિરોધને પગલે થાઈ રાજદૂતની બદલી કરવામાં આવી છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎