કુખ્યાત અપરાધી મોહમ્મદ કૈફ રાષ્ટ્રીય જનતા દળમાં સામેલ બિહારમાં બગડતી કાયદા-વ્યવસ્થા પાછળ આરજેડી : નિખિલ આનંદ
- 23 Feb, 2024
સત્તા ગુમાવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જન વિશ્વાસ યાત્રાએ નીકળ્યા છે. તેઓ લોકસભાની ચુંટણી પૂર્વે પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ નીતીશ કુમાર અને એનડીએ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તેજસ્વી તેમની જન વિશ્વાસ યાત્રા ના પ્રચાર દરમિયાન તેમની મુલાકાત સિવાનમાં એક વ્યક્તિ સાથે થઈ હતી અને તે વ્યક્તિ મોહમ્મદ કૈફ હતો અને તેના આરજેડીમાં જોડાવાના મુદ્દાએ જોર પકડ્યું હતું.
કૈફ સર્કિટ હાઉસમાં તેજસ્વીને મળ્યો હતો. મળતી માહિતી મુજબ, કૈફ તેજસ્વી સાથેની મુલાકાત દરમિયાન ઔપચારિક રીતે આરજેડીમાં જોડાયો હતો. સીવાન જિલ્લાના કુખ્યાત ગુનેગાર મોહમ્મદ કૈફ પર હત્યા, અપહરણ, લૂંટ વગેરે જેવા 10 થી વધુ આરોપોનો સામનો કરવો પડે છે.મોહમ્મદ કૈફ પૂર્વ બાહુબલી સાંસદ શહાબુદ્દીનની નજીક હતો પરંતુ બાદમાં તેણે પોતાનું ગુનાહિત સામ્રાજ્ય સ્થાપ્યું.
હાલમાં મોહમ્મદ કૈફ જામીન પર જેલની બહાર છે. ભાજપે મોહમ્મદ કૈફના આરજેડીમાં સામેલ થવાને એક મોટો મુદ્દો બનાવવાનો નિર્ણય કર્યો છે અને પાર્ટી પણ તેને લઈને આક્રમક દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના OBC મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ નિખિલ આનંદે રાષ્ટ્રીય જનતા દળ પર આકરા પ્રહારો કર્યા છે. નિખિલ આનંદે કહ્યું છે કે, ‘RJDનું વિઝન અને મુખ્ય તત્વો હજુ પણ એક જ છે અને તે પોતાની જાતને લમ્પેન, ગુનાહિત અને વિકાસ વિરોધી ખરાબ તત્વોથી ક્યારેય અલગ કરી શકશે નહીં.’
નિખિલ આનંદે આરોપ લગાવ્યો કે તેજસ્વી શાર્પ શૂટરો સાથે રાજ્યમાં પ્રવાસ કરે છે અને ગુનેગારો સાથે સ્ટેજ શેર કરે છે. આનંદે આરોપ લગાવ્યો છે કે બિહારમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પાછળ આરજેડીનું યોગદાન છે. ભાજપ આરજેડી પર ભત્રીજાવાદનો આરોપ લગાવી રહી છે. જ્યારે આરજેડી આ વાતને નકારી રહ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ