સંભલમાં બનશે શ્રી કલ્કિ નારાયણનું ભવ્ય મંદિર વડાપ્રધાન મોદી દ્વારા આજે શિલાન્યાસ
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan19022024_052542_WhatsApp Image 2024-02-19 at 10.55.12 AM.jpeg)
- 19 Feb, 2024
અયોધ્યામાં રામમંદિરના લોકાર્પણ બાદ ઉત્તરપ્રદેશમાં ભગવાન કલ્કિના મંદિર નો શિલાન્યાસ આજે થશે .સંભલ જિલ્લાના અંચોડા કંબોહમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ નારાયણના ભવ્ય મંદિરનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી આજે 19 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે.
કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે બહાર કરવામાં આવેલા નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પીએમ મોદીને આ મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદી આજે સંભલમાં મંદિરની આધારશિલા મુક્યા બાદ લોકોને સંબોધન પણ કરશે, ત્યારે વડાપ્રધાનના પ્રવાસ માટે અહીં તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
વડાપ્રધાન મોદી સવારે 10.30 વાગ્યે સંભલ પહોંયા બાદ અહીં શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જિલ્લાના અંચોડા કંબોહમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી 1.30 વાગ્યે લખનઉ પહોંચશે અને બીજા કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી કલ્કિ નારાયણ મંદિર વિશે મહંતે દાવા કર્યો છે કે અહીં સ્થિત કલ્કિ ભગવાનનું મંદિર 1 હજાર વર્ષથી પણ જૂનુ છે. તેમને એ પણ કહ્યું કે 300 વર્ષ પહેલા આ મંદિરનું નવીનીકરણ ઈન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું કે આ મંદિર ખુબ જ ભવ્ય બનશે અને તેમાં પણ તેને ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે, જેનો ઉપયોગ રામમંદિર બનાવવામાં કરવામાં આવ્યો છે. મંદિરનો ચબૂતરો 11 ફૂટ ઉંચો હશે અને મંદિરની કુલ ઉંચાઈ 108 ફૂટ હશે. એટલું જ નહીં મંદિરની અંદર 10 ગર્ભગૃહ બનાવવામાં આવશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના દેવતાઓ બિરાજમાન થશે. પ્રમોદ કૃષ્ણમે એ પણ જણાવ્યું કે જિલ્લામાં 68 તીર્થસ્થાન છે, તેથી મંદિરના પ્રાંગણમાં 68 તીર્થોની સ્થાપના પણ કરવામાં આવશે.
વડાપ્રધાન મંદિરના શિલાન્યાસ બાદ અહીં સંબોધન કરશે, જેના માટે પંડાલ પણ બનાવવામાં આવી ચૂક્યો છે. આ પંડાલમાં 30 હજાર લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 1500 પોલીસકર્મી અહીં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી ચૂક્યા છે. વડાપ્રધાન સવારે 10.30 વાગ્યે સંભલ જિલ્લામાં કલ્કિ નારાયણ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમના એક દિવસ પહેલા જ મુખ્યપ્રધાન યોગી બરેલી પહોંચી ગયા હતા.
સીએમ યોગી બરેલીના સર્કિટ હાઉસમાં રાત્રે રોકાયા. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અહીંથી સંભલ જવા માટે રવાના થશે. બરેલીના ત્રિશૂલ એરબેસ પર સીએમ યોગી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ