:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આજે ખેડૂતોનું 'ભારત બંધ' : સરકાર- ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ, અન્નદાતાઓએ કમર કસી!

top-news
  • 16 Feb, 2024

એક તરફ પંજાબના ખેડૂતો છે, જેઓ દિલ્હી તરફ કૂચ કરવા પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો સાથે બાથ ભીડી રહ્યા છે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચા 16 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે ભારત બંધ પાળવા જઈ રહ્યો છે. 

દેશના તમામ ખેડૂત સંગઠનો ભારત બંધમાં પંજાબના ખેડૂતો સાથે જોડાશે. આવી સ્થિતિમાં પંજાબથી લઈને હરિયાણા, દિલ્હીથી લઈને યુપી સુધી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ ગઈ હતી. દિલ્હીની તમામ સરહદો પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખેડૂત સંગઠનોને પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.13 ફેબ્રુઆરીએ પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી અને 3 દિવસ સુધી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોએ ખેડૂતોને પંજાબ અને હરિયાણા બોર્ડર પર એક મીટર પણ આગળ વધવા દીધા નથી, પરંતુ હવે 16 ફેબ્રુઆરી એટલે કે તે તારીખ છે જેમાં માત્ર પંજાબના ખેડૂતો જ નહીં પરંતુ દેશભરના ખેડૂત સંગઠનો પોતાની માંગણીઓ સાથે સરકાર સામે એક સાથે ઉભા રહેશે.

ખેડૂતોની એમએસપીની ગેરંટી સહિત કુલ 13 માંગણીઓ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર પોતાનું વચન પૂરું કરી રહી નથી અને તેના માટે હવે દેશભરના ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ભારત બંધ પાળી રહ્યા છે. પંજાબ અને હરિયાણા બોર્ડર પર તંગ વાતાવરણને જોતા 16 ફેબ્રુઆરીએ ભારત બંધ માટે મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અર્ધલશ્કરી દળ અને દિલ્હી પોલીસના જવાનોએ દિલ્હીની સિંઘુ બોર્ડર પર રિહર્સલ શરૂ કરી દીધું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎