42 વર્ષીય માહીના સંન્યાસની અટકળો તેજ : ધોનીની આ છેલ્લી IPL? ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી, ધોની કે IPL તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13052024_092238_post_image_7ce530c.webp)
- 13 May, 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ ipl 2024ની હાલમાં સિઝન ચાલી રહી છે. દરવર્ષે આ મેચનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક શાનદાર મેચ રમાઈ હતી જેમાં ચેન્નાઈએ 5 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચ ચેન્નાઈના હોમ ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ શરૂ થતા પહેલા અને પછી કઈક અલગ નજારો જોવાં મળ્યો ,જેને જોયા બાદ ચાહકોની આંખો પાણી થી ભરાઈ આવી હતી.
આ સિઝનની ચેન્નાઈ ટીમ દ્વારા પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમવા આવતી આ છેલ્લી લીગ મેચ હતી. હવે ચેન્નાઈની ટીમે આ IPL સિઝનના ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે. વધુમાં આ મેચ બેંગલુરુમાં RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજવામાં આવેલી છે. પરતનું અહી જાણવા જેવી વાત એ છે કે ચેપોકમાં રમાયેલી CSK અને RRની મેચમાં બે એવી ઘટનાઓ બની જેણે 42 વર્ષીય ધોનીના સંન્યાસ અંગેની અટકળોને તેજ બનાવી દીધી , જેમાં પહેલી બાબત એ કે મેચમાં ટોસ પહેલા CSK ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર ખાસ અપીલ કરી હતી જેને લઈને દર્શકો ના મનમાં ધોનીના સંન્યાસ અંગેની વાતો વહેતી થઈ ગઈ .
ફ્રેન્ચાઈઝીએ પોસ્ટ શેર કરતા કહ્યું કે, મેચ સમાપ્ત બાદ દર્શકો સ્ટેડિયમમાં જ રહેજો કારણ કે મેચ પછી કંઈક ખાસ થવાનું છે. ચાહકોને સરપ્રાઈઝ મળી શકે છે. આ પોસ્ટ બાદ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે મેચ પછી ધોનીને લઈને કંઈક થવાનું છે. કેટલાક ચાહકોએ કહ્યું કે તે મેચ પછી રડવાના છે. પરંતુ રાજસ્થાનને હરાવ્યા બાદ બીજો જ નજારો જોવા મળ્યો. ધોની અને ચેન્નાઈની ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફે 'લેપ ઓફ ઓનર' કર્યું એટલે કે સ્ટેડિયમના ચક્કર લગાવ્યા. આ સાથે જ ધોનીએ પૂર્વ ખેલાડી સુરેશ રૈના સાથે મળીને પોતાના ચાહકોનો હંમેશા ટીમને સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન ધોનીએ રિટર્ન ગિફ્ટ તરીકે ચાહકોને યલો કલરનો બોલ આપ્યો હતો. લેપ ઓફ ઓનર પહેલા ધોની સહિત તમામ ખેલાડીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા. તમામ ખેલાડીઓ એક લાઈનમાં ઉભા રહ્યા અને ટીમના માલિક એન શ્રીનિવાસનની પુત્રી રૂપા ગુરુનાથે તેમને મેડલ એનાયત કર્યા.
આ સાથે જ ધોનીને તેમના સાથી ખેલાડીઓએ 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપ્યું હતું. આ તમામ બાબતોના કારણે ચાહકોના મનમાં ધોનીના સંન્યાસ અંગેની અટકળો તેજ થઈ ગઈ છે. જો કે હજુ સુધી ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી, ધોની કે IPL તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. હાલમાં આ તમામ કલ્પનાઓ ફક્ત અટકળો જ છે.
ધોની આ વખતે 7 જુલાઈના રોજ 43 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં આ તેની છેલ્લી IPL સિઝન માનવામાં આવી રહી છે. માહીએ આ સિઝન પહેલા જ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સની જવાબદારી ગાયકવાડને સોંપી દીધી હતી. ધોની આગામી સિઝનમાં મેન્ટર અથવા કોચ જેવી કંઈક નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. હાલમાં બધુ ચિત્ર અસ્પસ્ટ છે .
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ