બીજી ટી20માં ભારતીય મહિલા ટીમની જીત : મેધરાજાના આશીર્વાદે D/Lને આધારે 19 રને વિજયી ..
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02052024_123351_98302887.webp)
- 02 May, 2024
સિલ્હટમાં રમાયેલ બીજી ટી20 મેચમાં ભારતીય મહિલા ટીમનો બાંગ્લાદેશ સામે વિજય થયો હતો . બીજી ઈનીગ સમયે વરસાદ પડતાં ડકવર્થ -લુઈસ મેથડના આધારે ભારતની ટીમનો 19 રને વિજય થયો હતો. આ સમગ્ર મેચમાં રાધા યાદવ અને દયાલાન હેમલતાએ ઓલ-રાઉન્ડ દેખાવ કર્યો હતો. જ્યારે ડાબોડી સ્પિનર રાધાએ 19 રનમાં ત્રણ વિકેટ ઝડપતા બાંગ્લાદેશની મહિલા ટીમ 119 રનમાં સમેટાઈ ગઈ હતી.
મુર્શિદા ખાતુને સર્વાધિક 46 રન કર્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમે શેફાલી (શૂન્ય)ની વહેલી વિકેટ ગુમાવ્યા બાદ 5.2 ઓવરમાં એક વિકેટે 47 રન કર્યા હતા. મેચમાં બીજી ઈનીગના સમયે બીજી વખત વરસાદ પડ્યો હતો જેને પગલે ડીએલએસ મેથડ મુજબ ભારતને 28 રનનો ટારગેટ મળ્યો હતો પરંતુ ભારતીય મહિલા ટીમ 19 રન આગળ હોવાથી તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
હેમલતા 24 બોલમાં 41 રન કરીન અણનમ રહી હતી જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થયો હતો. ભારતે પાંચ ટી20 મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ