:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચાર માળમાં તોડફોડ કરવી પડશે, રાજકોટમાં ફાયર વિભાગની મંજૂરી વિના જ 11 માળની સરકારી હોસ્પિટલ બની ગઈ!

top-news
  • 08 Dec, 2023

રાજકોટમાં નિર્માણ પામેલી જનાના હોસ્પિટલના બાંધકામમાં ગંભીર ભૂલ બહાર આવી છે. હોસ્પિટલના ૧૧ માળના બાંધકામ વખતે ફાયર સેફ્ટી માટે જરૂરી રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલી જવાયું છે. આથી ફાયર વિભાગે હવે એનઓસી આપવાની ના પાડી દેતા એરિયા મુકવા માટે ચાર માળમાં મોટીભાંગફોડ કરી 40 લાખનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.  મળતી માહિતી મુજબ, હોસ્પિટલના ૧૧ માળના બિલ્ડીંગ માટે પ્લાન રાજકોટ કોર્પોરેશનમાં મુકવામાં આવેલો. જેમાં ફાયર વિભાગની મંજુરી લીધા વગર ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી મંજુરી મેળવીને બાંધકામ કરી લેવાયું હતું. આથી હવે ટાઉન પ્લાનીંગ વિભાગની લાપરવાહી કે સરકારી ઈમારત હોવાના કારણે બાંધછોડ કરવામાં આવી છે, તે મુદ્દે કોર્પોરેસનમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

શહેરમાં ૧૫ મીટરથી વધુ ઉંચાઈની ઈમારત બનાવવા માટે આર્કિટેક દ્વારા લેઆઉટ પ્લાન મુકવામાં આવે તે પ્રથમ ફાયર વિભાગને આપવાનું હોય છે. જેમાં ફાયર વિભાગ ફાયર એનઓસી અંતર્ગત ક્યા પ્રકારનું બાંધકામ કરવામાં આવશે તેનો અભ્યસા કરી જરૂરી સુધારા-વધારા કરે છે. ત્યારબાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ઈમારતને બાંધકામની મંજુરી મળે છે. પરંતુ જનાના હોસ્પિટલના લેઆઉટ પ્લાનમાં આ નિયમનો ઉલાળીયો કરવામા આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.  જનાના હોસ્પિટલો લેઆઉટ પ્લાન ફાયર વિભાગને મંજુરી અર્થે આપવાના બદલે ટાઉન પ્લાનીંગ વિભાગમાં રજૂ કરી મંજુરી મેળવી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અને ટાઉન પ્લાનીંગ વિભાગે ફાયર વિભાગની મંજુરી વગર કેવી રીતે બાંધકામની મંજુરી આપી દીધી તે પણ તપાસનો વિષય બન્યો છે. 

આ હોસ્પિટલના ચાર માળમાં રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલાઈ ગયું છે. જેના કારણે આઈસીયુ વિભાગમાં આગની દૂર્ઘટના બને ત્યારે દર્દીઓને બહાર કાઢવા અને એકઠા કરવા માટેનો હોલ ન હોવાથી મુશ્કેલી સર્જાઈ શકે છે.  હવે આ ચાર માળ ઉપર બાંધકામોમાં તોડફોડ કરવી પડશે ત્યાર બાદ ફાયર એનઓસી મળશે તેમ જાણવા મળેલ છે.જનાના હોસ્પિટલનું કોકડું ફાયર એનઓસી વાંકે ગુચવાયું છે. આ બાબતે મહાનગરપાલિકાના એક પણ અધિકારી કંઈ પણ બોલવા તૈયાર નથી.  


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎