સૂરતમાં ફરી અગ્રિકાંડઃ 7 મજૂરો જીવતા ભુંજાઈ ગયા, માત્ર હાડપિંજર મળ્યા, 27 દાજ્યા, 10 ગંભીર
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan30112023_044747_WhatsApp Image 2023-11-30 at 10.16.49 AM.jpeg)
- 30 Nov, 2023
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોની ચિચિયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.
આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ કંકાલ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાઝી જતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. આ અંગે સુરત પોલીસ DCPએ જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા. જેમાં કંપનીમાંથી આજરોજ સાત માનવ કંકાલ મળ્યાં છે. આ કંકાલોને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મૃતદેહને પી.એમ. માટે લઈ જવાયા
આગ દુર્ઘટના બાદ કંપની અંદર કામ કરી રહેલા કાર્મચારીઓની સંખ્યા અંગે તપાસ કરતા સાત લોકો ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેની બે દિવસથી શોધખોણ ચાલી રહી હતી. જેમાં આજરોજ સવારે છ માનવ કંકાલ પોલીસને મળી આવ્યા હતાં અને એક લાપતા હોવાથી તેની શોધખોણ ચાલી રહી હતી. થોડા સમયબાદ તે એક લાપતા વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. સાતે સાત મૃતદેહને પી.એમ. અર્થે સુરત સિવિલમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
આગ દુર્ઘટના બાદ કંપની અંદર કામ કરી રહેલા કાર્મચારીઓની સંખ્યા અંગે તપાસ કરતા સાત લોકો ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેની બે દિવસથી શોધખોણ ચાલી રહી હતી. જેમાં આજરોજ સવારે છ માનવ કંકાલ પોલીસને મળી આવ્યા હતાં અને એક લાપતા હોવાથી તેની શોધખોણ ચાલી રહી હતી. થોડા સમયબાદ તે એક લાપતા વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. સાતે સાત મૃતદેહને પી.એમ. અર્થે સુરત સિવિલમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ