મોટી હોનારતઃ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકોનોમાં લાગી આગ, દુકાનદારોમાં દુખનો માહોલ

- 07 Nov, 2023
દિવાળી પહેલા જ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે.
આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી.ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે. ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.
ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ