:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

જસદણ તાલુકામાં 400થી વધુને ફૂડ પોઈઝનિંગ: પ્રસાદ લીધા બાદ અસર થઈ, હોસ્પિટલમાં દાખલ ....

top-news
  • 30 Apr, 2024

 ઉનાળાની ઋતુમાં હાલ ભયંકર ગરમી પડી રહી છે. એમાં દરેકને તેની અસર થઈ રહી છે. પશુ-પંખી થી માંડીને માનવી દરેક તેનાથી ત્રાસી ગયા છે, એવામાં ખાવાની વસ્તુ બગડે તો નવાઈ શું ??? આવી જ એક ઘટના આજે  રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાથી આવી હતી. જેમાં  ગોખલાણા ગામે માતાજીના માંડવામાં સાંજે પ્રસાદ લીધા બાદ ફુડ પોઈઝનિંગ અસર થઈ હોવાની ઘટના સામે આવી છે.હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે ,  પ્રસાદ ખરાબ થવાનું કારણ 
ગરમી છે કે બીજું કઈ તેની તપાસ બાદ માહિતી મળી શકશે ...

ગોખલાણા સમસ્ત ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 1000થી વધુ લોકો આવ્યા હતા. પ્રસાદ લીધા બાદ 400થી વધુ લોકો સહિત બાળકોનો પણ સામેલ હતા. તમામને પ્રસાદ લીધા બાદ ઊલટી થવા લાગી હતી. જેમાં 5થી 12 વર્ષના બાળકોને વધુ અસર જોવા મળી હતી.અસરગ્રસ્તોને તાત્કાલિક જસદણની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા.

હાલ તમામ અસરગ્રસ્તો સંપૂર્ણ ભયમુક્ત છે. ઉલ્લેખનીય છે કે ગોખલાણા ગામે પાણીના ટાંકા પાસે આવેલા બાવળવાળી મેલડી માતાના મંદિરે દર વર્ષે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજુબાજુના ગ્રામજનોને પ્રસાદનું આમંત્રણ હોવાથી પ્રસાદ લેવા પહોંચ્યા હતા. મળતી વિગતો અનુસાર, જમણવારમાં ફ્રુડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી. જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. આરોગ્ય તંત્ર પણ ગોખલાણા પહોંચી પ્રસાદને સેમ્પલ લીધા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎