ગુજરાતમાં 13,600થી વધુ બુથ સંવેદનશીલ જાહેર: કુલ મતદાન મથકો છે. 50,787....
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan23042024_051621_WhatsApp फ़ोटो 2024-04-23, 10.42.11 बजे_373b4f94.webp)
- 23 Apr, 2024
ગુજરાતમાં લોકસભાની ચુંટણી ૭ મેના રોજ યોજવાની છે. જેમાં 50,787 બૂથછે. જે પૈકી 13,600થી વધુ બુથ સંવેદનશીલ છે. આ તમામ સંવેદનશીલ બૂથો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 27 % બૂથ સંવેદનશીલ પર દરેક બૂથ પર 4 SRP જવાનો હાજર રહેશે. SRPની કુલ 112 પૈકી 10 કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં 450 સંવેદનશીલ મથકોમાં ઘટાડો થયો છે. દરમિયાનમાં ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 23 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધયોજાવાની છે. એકમાત્ર ભરૂચ બેઠક પર ભારત આદિવાસી સેનાના ઉમેદવાર દિલીપ છોટુ વસાવા મેદાનમાં હોવાથી ત્રિકોણિય જંગ થવાની સંભાવના દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપના 26, કોંગ્રેસના 23 અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાતમાં મતદાન પહેલાં કોંગ્રેસના સત્તાવાર તેમજ ડમી ઉમેદવાર ફોર્મ રિજેક્ટ થતાં અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી
લેતાં સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેથી આ બેઠક પર મતદાન થવાનું નહીં હોવાથી રાજ્યમાં 25 બેઠકો માટે મતદાન થશે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં પણ સીધી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષપલ્ટુ એવા અર્જુન મોઢવાડિયા પોરબંદર અને સીજે ચાવડા વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
વાઘોડિયા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસની તરફેણમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતાં આ બેઠક પર પણ સીધી ટક્કર બન્ને મુખ્ય પાર્ટીઓ વચ્ચે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ