:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

વડાલીમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઝપાઝપી : કોંગ્રેસ સામે ક્ષત્રિય સમાજના નામે હોબાળો કર્યાનો આરોપ...

top-news
  • 22 Apr, 2024

સાબરકાંઠાના વડાલીમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉગ્ર વિરોધ થતા હોબાળો મચી જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વડાલી ગામમાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન થવા જઈ રહ્યું હતું એ સમયે એક ટોળું આવીને વિરોધ કરવા લાગ્યું , આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા માઇક પર સંબોધન કરી રહ્યાં હતા. પ્રદર્શનકારીઓ તેમનું માઇક લઈ લેવાનો પ્રયાસ કર્યો  જેથી રમણલાલ રોષે ભરાયા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. 

મળતી વિગત મુજબ ક્ષત્રિય સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે વડાલી ગામે આવવાની માહિતી મળી હોવાથી પોલીસ તંત્ર દ્વારા અગાઉથીજ અગમચેતીના પગલાં રૂપે બંદોબસ્ત કર્યો હતો, જેથી ક્ષત્રિયો ત્યાં પહોંચીન શકે . એવા સમયે ત્યાં બેરીકેડ લાવવવામાં આવ્યા હોવા છત્તા પ્રદર્શનકારીઓ તે તોડી આગળ વધવાના પ્રયનત કર્યો હતો. ઉપરાંત  હાઇવે પર બેસીને નારા પણ લગાવ્યા હતા. ત્યારબાદ પોલીસના જવાનોએ તેમને રોકાવાના પ્રયાસો કર્યા પરંતુ બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. છેવટે પોલીસ દ્વારા ધરસભ્યને કોર્ડન કરીને લઈ જવામાં આવ્યા હતા. 


ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગ બાદ થયેલી ઝપાઝપી બાદ ધારાસભ્ય રમણલાલ વોરાએ આ બનાવ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ક્ષત્રિય સમાજનું બહાનું કાઢી અન્ય લોકોને સાથે રાખી ક્ષત્રિય સમાજના નામે હોબાળો કર્યો હતો અને બેઠકમાંમાં ખલેલ પહોંચાડી હતી. રમણલાલ વોરાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરવાનો અધિકારી ભોગવે પરંતુ કોંગ્રેસ અને તેના મળતિયાઓ ક્ષત્રિય સમાજના નામે જે કામ કરી રહ્યાં છે, તેના કારણે ક્ષત્રિય સમાજને આગામી દિવસોમાં નુકસાન થશે. 


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎