:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સુરતમાં અચાનક રોગચાળો ફાટી નીકળ્યો : એક મહિલા અને બાળકનું ઝાડા-ઉલટીથી મૃત્યુ

top-news
  • 11 Apr, 2024

પ્રકૃતિના બદલાતા મિજાજને પગલે શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે, ઠંડીની સાથે સાથે ગરમીનો પણ અહેસાસ થાય છે. બદલાયેલા આ વાતાવરણને કારણે અનેક શહેરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં હાલ માં સુરતમાં અચાનક રોગચાળો વકર્યો છે. સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ ઝાડા ઉલટીના અસંખ્ય કેસ નોંધાયા છે.

મનપા દ્વારા  રોગચાળાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે, એવામાં ઝાડા-ઊલટી થી બે લોકોના મોત થયાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ સચિન GIDC વિસ્તારમાં અને ગોડાદરા વિસ્તારમાં બે વ્યક્તિના મોત થયા છે. આ તરફ હવે સુરત મ્યુનિશિપલ કોર્પોરેશનની ટીમે આ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે.

ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો વકર્યો છે. આ દરમિયાન સુરતના સચીન GIDCમાં રહેતા 2 વર્ષના વિષ્ણુ પાસવાન અને ગોડાદરા વિસ્તારમાં અને એક મહિલાનું ઝાડા-ઉલટીને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. ઝાડા-ઉલટીના કેસ વધતા મનપાનુ તંત્ર દોડતું થયુ છે. વિગતો મુજબ અહીં એક મહિલા અને એક બાળક ઝાડા-ઉલટીના કારણે મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. જેણે લઈ હવે મનપાની ટીમે પાણીથી કોઈ ચેપ લાગ્યો હોય કે કેમ તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎