પૂજય સરદારસિંહ રાણાના જન્મદિને પુષ્પાંજલિ અર્પણ કરાઇ ક્રાંતિકારી,સ્વાતંત્ર્ય સૈનિકનો આઝાદીની ચળવળમાં સિંહફાળો...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10042024_120141_WhatsApp-Image-2024-04-10-at-10.19.25-AM-1-640x960.jpeg)
- 10 Apr, 2024
દેશની આઝાદીની લડતમાં અનેક વીરોએ અમૂલ્ય ફાળો આપ્યો હતો,પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર આઝાદીની ચળવળમાં ઝપલાવ્યું હતું. જેને પરિણામે દેશ 100 વર્ષ બાદ સ્વતંત્ર થઈ શક્યું હતું . આ વીરોનું બલિદાન વિસારાય એવું નથી. એવાજ એક વીર સપૂત હતા શ્રી સરદારસિંહ રાણા જેમના સિંહફાળાને દેશ ક્યારેય નહીં ભૂલે .
ક્રાંતિકારી,સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા. તેઓએ વર્ષ-૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંત૨રાષ્ટ્રિય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેઓ સંપૂર્ણપણે દેશ પ્રેમની ભાવના ધરાવતા અને વિલાયતી દવાઓ કરતા નેચરોપેથીમાં વિશ્વાસ કરતા હતા.
ગુજરાતના સુપુત્ર એવા સરદારસિંહ રાણાએ વિદેશમાં જઈ ક્રાંતિવીરોને દેશની આઝાદી માટે તૈયાર કર્યા હતા અને તેમને સંપૂર્ણ જીવન દેશ માટે અર્પણ કર્યું હતું. તેમના જન્મદિને વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ પૂજય સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ