ગરમીમાં હવેથી શેકાવું નહીં પડે, ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ 100 જેટલા સિગ્નલ પર 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બ્લિકર મુકાશે..
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02042024_062042_yellow-traffic-light-scaled.jpg)
- 02 Apr, 2024
હોળી બાદ દેશમાં ગરમીની શરૂઆત થઇ જતી હોય છે, પરંતુ હવે તો જળવાયુ પરિવર્તન ને કારણે તો ગમે ત્યારે ગરમી, ઠંડી અને વરસાદનો અનુભવ થઈ રહ્યો છે, એવામાં રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અને હવામાન વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સામાન્ય લોકો ગરમીમાં શેકાઇ રહ્યાં છે ત્યારે ગરમી વધતા ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં શહેરના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ 100 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. તેમજ હેવી ટ્રાફિક સિગ્નલનો સમય પણ ઘટાડવામાં આવશે. જેથી ગરમીમાં વાહનચાલકોને ઉભું ન રહેવું નહીં પડે. ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતાંની સાથે જ વાહનોની ગરમી અને આકરા તડકાથી ચામડી તતડવા લાગે છે. જેના કારમે છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફિક વિભાગ દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદીઓને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ પડશે નહી.
ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 12 વાગ્યાથી લઇને 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 305 સિગ્નલ છે. જેમાંથી 20 સિગ્નલ બંધ હાલતમાં છે. તે સિવાય 100 જેટલા સિગ્નલ પર બપોરે 12-4 વાગ્યા સુધી બ્લિકર મુકવામાં આવશે. આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે જેથી ટ્રાફિકનું નિયમન પણ થઈ શકે.
આ સિવાય કોર્પોરેશન સાથે મળી મોટા ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બંધાશે તેથી સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે.અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. આ સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાવવા જઈ રહ્યું છે.
જેના કારણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ