:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

લોકસભા ચુંટણી 2019 ગુજરાતની તમામ 26 બેઠકો ના પરિણામ પર ઊડતી નજર ... નવસારી બેઠક પર પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડયો ....

top-news
  • 12 Mar, 2024

2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધીમાં યોજાઈ ગઈ હતી. સમગ્ર દેશમાં મોદી લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી. પ્રચંડ બહુમતથી ભાજપના નેતૃત્વવાળા એનડીએનો વિજય મળ્યો હતો.  તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જંગી લીડથી વિજય થયો હતો. . જે બેઠકો પર કોંગ્રેસ વિજયની આશા રાખીને બેઠી હતી તેમાં પણ તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો .અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા પરેશ ધાનાણી હારી ગયાં.હતા.  જ્યારે આણંદથી ભરત સોલંકીએ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો . 

(1) અમદાવાદ (પૂર્વ): 
અમદાવાદ (પૂર્વ)ની બેઠક પર મુખ્ય રીતે ભાજપના હસમુખભાઈ પટેલ અને કોંગ્રેસના ગીતાબેન પટેલ વચ્ચે મુકાબલો હતો. આ બેઠક પર ભાજપના હસમુખ પટેલે કોંગ્રેસના ગીતાબેન પટેલને 434330 મતોથી હરાવ્યાં. આ બેઠક આમ તો પ્રમાણમાં નવી રચાયેલી બેઠક છે. 2008માં ડિ-લિમિટેશનની પ્રક્રિયા બાદ આ મતવિસ્તારની રચના થઈ. અને ત્યારબાદ 2009 અને 2014 એમ બે લોકસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. 

(2) અમદાવાદ (પશ્ચિમ): 
અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના કિરિટ સોલંકીએ કોંગ્રેસના રાજુ પરમારને 321546 મતોથી હરાવ્યાં. નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. 

(3) અમરેલી :
એવી કેટલીક બેઠકો હતી જેના વિશે કહેવાતું હતું કે ત્યાં કોંગ્રેસ જીત મેળવી જશે. જેમાંની એક બેઠક અમરેલી હતી. આ બેઠક પરથી ભાજપના સીટીંગ એમએલએ સામે કોંગ્રેસે ધૂરંધર નેતા પરેશ ધાનાણીને ઊભા રાખ્યા હતાં. પરંતુ કોંગ્રેસે હારનો સામનો કરવાનો વારો આવ્યો. અમરેલી બેઠક પર નારણભાઈ કાછડિયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને 201431 મતોથી હરાવ્યાં.

(4) આણંદ: 
આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલે કોંગ્રેસના ભરત સોલંકીને 197718 મતોથી હરાવ્યાં.  લોકસભા ચૂંટણી 2019માં જાણે આણંદવાસીઓએ કોંગ્રેસ સરકાર ઇચ્છતી જ ના હોય તેમ પરિણામમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળ્યાં. આમ તો આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. તેમ છતાં આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી હરાવીને જીત મેળવી. 

(5) બનાસકાંઠા: 
ગુજરાતની આ બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. પરબત પટેલ જીત્યા છે. બનાસકાંઠા બેઠક પર ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથીભાઈ ભટોળને 368296 મતોથી હરાવ્યાં.

(6) બારડોલી: 
બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસ દ્વારા અગાઉ અહીંથી બે વખત સાંસદ રહી ચુકેલા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ તરફથી પ્રભુ વસાવા મેદાનમાં હતાં. બારડોલી બેઠક પર પ્રભુ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 215447 મતોથી હરાવ્યાં. જીતેલા ઉમેદવાર પ્રભુ વસાવાને 742273 મતો અને કોંગ્રેસના તુષાર ચૌધરીને 526826 મતો મળ્યાં છે. એટલે કે પ્રભુ વસાવા 215447 મતોથી જીતી ગયાં. 

(7) ભરૂચ:  
ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 28 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસ સતત નિષ્ફળ ગઈ છે. ટ્રાઈબલ નેતા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જંગી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને હરાવ્યાં છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 334214 મતોથી હરાવ્યાં.  મનસુખ વસાવાને 637795 મતો જ્યારે શેરખાન પઠાણને 303581 મતો મળ્યાં. 

(8) ભાવનગર: 
ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં. ભાજપના ભારતીબેન શિયાળે કોંગ્રેસના મનહરભાઈ પટેલને 329519 મતોથી હરાવ્યાં. 

(9)  છોટા ઉદેપુર: 
એસ ટી માટે અનામત એવી છોટા ઉદેપુર બેઠક ઉપર ભાજપે પહેલીવાર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી. છોટા ઉદેપુરની બેઠક પર ગીતાબેન રાઠવાએ કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 377943 મતોથી હરાવ્યાં. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. જે સફળ નિવડ્યું. ગીતાબેન રાઠવાએ તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યાં છે. 

(10) દાહોદ: 
એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 3 વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબુત બનેલી સ્થિતિ હવે વધુ મજબુત બની રહી છે.દાહોદ (એસટી) બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસના બાબુભાઈ કટારાને 127596 મતોથી હરાવ્યાં. 

(11) ગાંધીનગર: 
ગાંધીનગર બેઠક પર ભાજપના અમિત શાહે કોંગ્રેસના સી જે ચાવડાને 557014 મતોની જંગી લીડથી હરાવ્યાં. ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા. 

(12) જામનગર: 
જામનગર બેઠક પર પૂનમબેન માડામે કોંગ્રેસના મૂળુભાઈ કંડોરિયાને 236804 મતોથી હરાવ્યાં. જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂનમ માડમ આ વખતે પણ જંગી લીડથી જામનગરની બેઠક પર કબજો જમાવ્યો છે.

(13) જૂનાગઢ:
જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાનો ભવ્ય વિજય થયો છે. રાજેશભાઈ ચૂડાસમાએ કોંગ્રેસના પૂજાભાઈ વંશને 150185 મતોથી હરાવ્યાં. જોકે, ભાજપે તેમના પર જ . 2014ના લોકસભા ઈલેક્શનમાં પણ રાજેશ ચૂડાસમા અને પૂજાભાઈ વંશ જ સામસામે હતા, અને રાજેશભાઈ 135832 માર્જિનથી જીત્યા હતા. જોકે, આ વખતની તેમની માર્જિન બહુ વધી નથી.

(14) કચ્છ :
ભાજપના ઉમેદવારે જંગી લીડથી હરિફ ઉમેદવારને હાર આપી કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડાએ કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 305513 મતોથી હરાવ્યાં.

(15) ખેડા : 
 ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના બિમલ શાહને 367145 મતોથી હરાવ્યાં.  ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ખરાબ રીતે હાર્યા છે. સ તરફથી જાહેર કરવામાં આવેલા ઉમેદાવરને ખેડા બેઠક પરથી 31.61 ટકા જનતાએ મત આપ્યા હતા. જ્યારે ભાજપના દેવુસિંહને ખેડાની જનતાએ 65.06 ટકા મતઆપીને જંગી લીડથી વિજયી બન્યા હતા. 

(16) મહેસાણા : 
મહેસાણા બેઠક પર ભાજપના શારદાબેન પટેલે કોંગ્રેસના એ જે પટેલને 281519 મતોથી હરાવ્યાં.પાટીદાર બહુમતી ધરાવતું મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. ભાજપ દ્વારા અહીં પ્રમાણમાં અજાણ્યા કહી શકાય એવા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે તેમની સામે કોંગ્રેસ દ્વારા પૂર્વ સનદી અધિકારી એ.જે. પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં.

(17) નવસારી: 
નવસારી બેઠક પર ભાજપના સી આર પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડતા કોંગ્રેસના ધર્મેશ પટેલને 689668 મતોથી હરાવ્યાં. નવસારી બેઠક પર કોંગ્રેસનું કોળી કાર્ડ ન ચાલ્યું. ભાજપના નેતા સી આર પાટિલ જંગી બહુમતીથી જીતી ગયા.  ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરાયા હતા . 

(18) પંચમહાલ: 
 પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડે કોંગ્રેસના વી કે ખાંટને 428541 મતોથી હરાવ્યાં. પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વી કે ખાંટ અને ભાજપના રતનસિંહ રાઠોડ વચ્ચે મુકાબલો હતો. ગત વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતમાંથી તમામ બેઠકો જંગી બહુમતીથી મળી છે. 

(19) પાટણ:
પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 193879 મતોથી હરાવ્યાં. પાટણનો ઈતિહાસ જેટલો મહત્વનો છે તેટલી જ પાટણ લોકસભા સીટ મહત્વની છે. આ સીટ પરથી ભાજપના ભરતસિંહ ડાભીનો મુકાબલો કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે હતો. 

(20)  પોરબંદર: .પોરબંદર બેઠક પર ભાજપના રમેશભાઈ ધડૂકે કોંગ્રેસના લલિત વસોયાને 229823 મતોથી હરાવ્યાં. 

(21) રાજકોટ: 
રાજકોટ બેઠક પર ભાજપના મોહનભાઈ કુંડરિયાએ કોંગ્રેસના લલિતભાઈ કગથરાને 368407 મતોથી હરાવ્યાં. ગત વર્ષે મોહન કુંડારીયાની 2 લાખ 46 હજાર મતથી જીત થઇ હતી. રાજકોટ બેઠકના ઇતિહાસમાં સૌથી વધુ લીડ હાસિલ કરીને મોહન કુંડારિયા ઇતિહાસ રચ્યો હતો .  અગાઉ 1998માં ભાજપના વલ્લભ કથીરિયા 3,54,916 મતથી જીત હાસિલ કરી હતી.

(22) સાબરકાંઠા: 
સાબરકાંઠા બેઠક પર ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 268987 મતોથી હરાવ્યાં.  જોકે યુવા નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પણ ઠાકોર સેનાના આ જિલ્લામાં કંઇ ખાસ અસર દેખાડી શક્યું નથી. જીત મેળનાર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે સાબરકાંઠાની જનતાનો આભાર માન્યો હતો.

(23) સુરત : 
 સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોશે વિજયી થઇને ફરી એકવાર સુરતમાં કમળને ખીલાવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવા માટે અશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો. સુરત બેઠક પર ભાજપના દર્શના જરદોશે કોંગ્રેસના અશોક પટેલને 548230 મતોથી હરાવ્યાં. 

(24) સુરેન્દ્રનગર: 
ગુજરાતની જનતાએ રાજ્યની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીત્યા છે ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર મહેન્દ્રભાઈ મુંજાપરાએ કોંગ્રેસના સોમાભાઈ પટેલને 277437 મતોથી હરાવ્યાં છે.  વર્ષ 2014માં ભાજપે જીત હાંસલ કરી હતી.

(25) વડોદરા: 
વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટે 589177ની જંગી લીડથી કોંગ્રેસના પ્રશાંત પટેલને હરાવ્યાં.  જો કે, 2014માં તે સમયના ગુજરાતના સીએમ અને ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન બન્યા હતા. ત્યારપછી પેટ ચૂંટણીમાં વર્ષ 2014માં ફરી ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટના નામનો પરચમ લહેરાયો હતો. 

(26) વલસાડ:
વલસાડ બેઠક પર એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવારો બદલાતા રહ્યાં છે. ત્યારે વલસાડ બેઠક પર ભાજપના કે સી પટેલે કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને 353797 મતોથી હરાવ્યાં. જો કે, 2014માં ભાજપના ઉમેદવારની અહીં જીત થઇ હતી. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎