:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

GMCના મેયર હિતેશભાઈ : સ્વસ્થ ભારત બનાવવામાં એક નવું પગલું વિકસિત ભારતના સંકલ્પ 2023 – 24ની ગ્રાન્ટ માંથી 4 સોનોગ્રાફી મશીનની ખરીદી

top-news
  • 02 Mar, 2024

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્પ અંતર્ગત સ્વસ્થ ભારત બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયર હિતેશભાઈ મકવાણા એ તેમની વર્ષ 2023 – 24 ની ગ્રાન્ટ માંથી 4 સોનોગ્રાફી મશીનની ખરીદી કરવામાં આવી.

આ મશીનનું લોકાર્પણ આજ રોજ માન. મેયર હિતેશભાઈ મકવાણાના વરદ હસ્તે તેમજ ધારાસભ્ય રીટાબેન પટેલ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ અને સ્ટે. ચેરમેન જશવંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં અર્બન હેલ્થ સેન્ટર, સેકટર-24 ખાતે કરવામાં આવ્યું.આ અવસરે મેયરએ જણાવ્યું હતું કે લોકોને આ સુવિધાનો લાભ માત્ર 100 રૂપિયાના ટોકન દરે મળશે. જેનો લાભ અંદાજીત માસિક 1000 લોકો એટલે વાર્ષિક 12000 લોકો મેળવશે.આ અવસરે કમિશનર જે.એન.વાઘેલા, કાઉન્સિલરો , શહેર મહામંત્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎