:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા: ભક્તે માતાજીના ચરણોમાં 12 કિલો ચાંદી ભેટ ધરી ...

top-news
  • 26 Feb, 2024

દેશના પવિત્ર યાત્રાધામોમાં હમેશાં અસંખ્ય ભીડ જોવા મળતી હોય છે. એમાં ખાસ કરીને તહેવારોમાં તો મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો વહેલી સવાર થી જ થઈ જતી હોય છે. હાલમાં પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવની શરૂઆત થયેલ છે. તેથી યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.  મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. 

આમ તો સામાન્ય દિવસે પણ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી જ હોય છે. શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા સાથે ભેટ માં ના ચરણોમાં ધરાવતા હોય છે. આવી જ રીતે એક ભક્તે 12 કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે. કેટલાક ભક્તો મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ દાન પણ અત્યાર સુધી કરી ચૂક્યા છે.  ચાંદીનું  પણ મોટા પ્રમાણમાં સતત દાન ભેટ મા અંબાના ચરણોમાં ભક્તો ચડાવતા હોય છે.

અહીં ભક્તો સુવર્ણ અને ચાંદીના આભૂષણો પણ મા અંબાને ભેટ ચડાવતા હોય છે.શ્રદ્ધાળુઓ મા અંબાના દરબારમાં પહોંચીને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.  ભક્તોએ મંદિરમાં અત્યાર સુધીમાં કરોડો રુપિયાના સોના અને ચાંદીની ભેટ ધરાવી છે. એવામાં રવિવારે સાંજની આરતી બાદ મુંબઇથી આવેલા શ્રદ્ધાળુએ ચાંદીની ભેટ માના દરબારમાં ધરી હતી.

મુંબઈના શ્રદ્ધાળુએ પોતાની ઓળખ આપ્યા વિના જ મંદિરમાં માતાજીના ચરણોમાં 12 કિલો અને 842 ગ્રામ ચાંદીની ભેટ ધરી હતી. જેની કિંમત 9.24 લાખ રુપિયા જેટલી અંદાજવામાં આવે છે. શ્રદ્ધાળુએ પોતાના નામને જાહેર કર્યા વિના જ માતાજીના ચરણોમાં ચાંદીના 17 જેટલા ચોસલાને ધર્યા હતા.

મહા મહિનાની પૂર્ણિમાને લઇને શનિવારે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અંબાજીમાં ઉમટી હતી. પુર્ણિમાને લઈ ભક્તોએ માં ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. એકમના દિવસે રવિવાર હોઇ રવિવારે પણ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎