અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા: ભક્તે માતાજીના ચરણોમાં 12 કિલો ચાંદી ભેટ ધરી ...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26022024_054912_WhatsApp Image 2024-02-26 at 11.18.50 AM.jpeg)
- 26 Feb, 2024
દેશના પવિત્ર યાત્રાધામોમાં હમેશાં અસંખ્ય ભીડ જોવા મળતી હોય છે. એમાં ખાસ કરીને તહેવારોમાં તો મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો વહેલી સવાર થી જ થઈ જતી હોય છે. હાલમાં પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવની શરૂઆત થયેલ છે. તેથી યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે.
આમ તો સામાન્ય દિવસે પણ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી જ હોય છે. શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા સાથે ભેટ માં ના ચરણોમાં ધરાવતા હોય છે. આવી જ રીતે એક ભક્તે 12 કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે. કેટલાક ભક્તો મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ દાન પણ અત્યાર સુધી કરી ચૂક્યા છે. ચાંદીનું પણ મોટા પ્રમાણમાં સતત દાન ભેટ મા અંબાના ચરણોમાં ભક્તો ચડાવતા હોય છે.
અહીં ભક્તો સુવર્ણ અને ચાંદીના આભૂષણો પણ મા અંબાને ભેટ ચડાવતા હોય છે.શ્રદ્ધાળુઓ મા અંબાના દરબારમાં પહોંચીને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ભક્તોએ મંદિરમાં અત્યાર સુધીમાં કરોડો રુપિયાના સોના અને ચાંદીની ભેટ ધરાવી છે. એવામાં રવિવારે સાંજની આરતી બાદ મુંબઇથી આવેલા શ્રદ્ધાળુએ ચાંદીની ભેટ માના દરબારમાં ધરી હતી.
મુંબઈના શ્રદ્ધાળુએ પોતાની ઓળખ આપ્યા વિના જ મંદિરમાં માતાજીના ચરણોમાં 12 કિલો અને 842 ગ્રામ ચાંદીની ભેટ ધરી હતી. જેની કિંમત 9.24 લાખ રુપિયા જેટલી અંદાજવામાં આવે છે. શ્રદ્ધાળુએ પોતાના નામને જાહેર કર્યા વિના જ માતાજીના ચરણોમાં ચાંદીના 17 જેટલા ચોસલાને ધર્યા હતા.
મહા મહિનાની પૂર્ણિમાને લઇને શનિવારે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અંબાજીમાં ઉમટી હતી. પુર્ણિમાને લઈ ભક્તોએ માં ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. એકમના દિવસે રવિવાર હોઇ રવિવારે પણ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ