:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ઇસરોના ચેરમેન એસ.સોમનાથની મહત્વની જાહેરાત, 2035ના પહેલા સ્પેસ સ્ટેશનનું નામ ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે

top-news
  • 06 Dec, 2023

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ૨૦૩૫માં સ્પેસ સ્ટેશન તરતુ મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ હશે  ભારતીય અંતરિક્ષ સ્ટેશન. ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે થોડા સમય પહેલાં એવી  વિશેષ  માહિતી  આપી હતી કે ભારત ૨૦૩૫માં  પોતાનું સ્પેસ સ્ટેશન  તરતું મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ  ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશન પૃથ્વી ફરતે ગોળગોળ ફરતું રહેશે. આપણા ભારતીયઅંતરિક્ષ સ્પેસ સ્ટેશનનો હેતુ  અંતરિક્ષ સંશોધન, અંતરિક્ષ સંશોધન માટેની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવી,  લાંબા સમયગાળા માટે  સમાન અવકાશયાન મોકલવાં વગેરે હશે. 

એસ.સોમનાથે એવી માહિતી પણ આપી  હતી કે સ્પેસ સ્ટેશનની યોજના આમ તો આવતાં ૨૦ વર્ષ માટેની છે.આમ છતાં એક વખત આપણા ગગનયાન પ્રોજેક્ટને  ઉજળી સફળતા મળે ત્યારબાદ અમારું બધું ધ્યાન આ ભાવિ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં હશે.વળી, આ ભાવિ  ભારતીય અંતરિક્ષ સ્ટેશનને તૈયાર કરવાની મહત્વાકાંક્ષી યોજનાના શરૂઆતના તબક્કે તેનાં ક્રિટીકલ મોડયુલ્સ અને તેની ખાસ પ્રકારની સિસ્ટમ તૈયાર થશે.ઉપરાંત, આ ભાવિ સ્પેસ સ્ટેશનમાં તબક્કાવાર ભારતના  અવકાશયાત્રીઓ સાથે મળીને અંતરિક્ષ સંશોધનના પ્રયોગો કરશે. વળી,માઇક્રોગ્રેવિટી સાયન્સ, મટિરિયલ્સ સાયન્સ, લાઇફ સાયન્સ વગેરે જેવા  અંતરિક્ષ સંશોધનના પ્રયોગો માટે  ઉત્તમ  પ્રકારની આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે. ચંદ્રયાન-૩ની ઝળહળતી સફળતા સાથે જ  આંતરરાષ્ટ્રીય  સ્તરે ઇસરોના વિજ્ઞાનીઓની અને એન્જિનિયરોની ટેકનિકલ સિદ્ધિની અને કાબેલિયતની ભરપૂર પ્રશસા થઇ રહી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎