:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજકારણમાં ચર્ચાનો વિષય: દિલ્હી જવા નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ ફ્લાઈટમાં આગળ-પાછળની સીટમાં બેઠા, નીતીશનો હસતો ચેહરો જોવા મળ્યો

top-news
  • 05 Jun, 2024

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે બુધવારે દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં આજે એનડીએની  બેઠક થવાની છે. તેઓ તેમાં ભાગ લેશે. સીએમ નીતીશ કુમાર જે ફ્લાઈટથી દિલ્હી જશે તેમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ પણ છે. સવારે 10.45ની ફ્લાઈટ છે.

બંને નેતાઓ એક જ ફ્લાઈટમાં હોવાના કારણે રાજકાણ ગરમાયું છે. લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી સરકાર બનાવતા પહેલા આજે દિલ્હીમાં એનડીએની બેઠક થવાની છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. આ બેઠકમાં સામેલ થવા માટે એનડીએ સાથે જોડાયેલા તમામ પક્ષોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી ચિરાગ પાસવાન, જીતન રામ માંજીને પણ દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. તેઓ પણ બેઠકમાં સામેલ થશે. ચૂંટણીના પરિણામો આવ્યા પછી આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. 



ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે આવ્યા હતા. ત્યારે એવી વાત બહાર આવી કે કોંગ્રેસના નેતૃત્વ સીએમ નીતીશ કુમારના સંપર્કમાં છે. એનડીએના ઘટક દળો સાથે કોંગ્રેસે સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. તે પછીથી આરજેડીના સાંસદ મનોજ ઝાએ પણ એમ કહ્યું હતું કે નીતીશ કુમારે જ ઈન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી હતી. એવામાં તેજસ્વી યાદવ અને નીતીશ કુમાર એક જ સાથે ફ્લાઈટમાં જઈ રહ્યાં હોઈ રાજકારણ ગરમાયું છે. 

બિહારમાં એનડીએને 30 સીટો પર વિજય પ્રાપ્ત થયો છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો તે નવ સીટો પર જીત્યું છે. પૂર્ણિયાથી પપ્પૂ યાદવને અપેક્ષ ઉમેદવાર તરીકે જીત પ્રાપ્ત થઈ છે. દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની પણ બેઠક થવાની છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેમાં તેજસ્વી યાદવ પણ સામેલ થશે.