:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

પુનાની પોર્શે કાર અકસ્માતનો મામલો: અકસ્માત કેસમાં હવે સગીરના દાદાની પણ ધરપકડ કરાઈ, ડ્રાઈવરને ધમકાવવાનો છે આરોપ, IPCની કલમો લાગું

top-news
  • 25 May, 2024

પુનાનાં પોર્શે કાર અકસ્માત કેસમાં સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પુના પોલીસે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરેન્દ્ર અગ્રવાલે ડ્રાઈવરને ધમાકાયો અને તેને ઘરે જવા દીધો નહોતો. ડ્રાઈવરે સુરેન્દ્ર અગ્રવાલની વિરુદ્ધ  પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેના આધારે સુરેન્દ્ર અગ્રવાલ પર પણ કલમો લગાવવામાં આવશે. આઈપીસીની કલમ 365, 366 અને અન્ય કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવશે. આના એક દિવસ પહેલા શુક્રવારે પુના પોલીસ પ્રમુખ અમિતેશ કુમારે કહ્યું હતું કે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કાર ડ્રાઈવર ચલાવી રહ્યો નહોતો.



જોકે એક અન્ય અધિકારીએ કહ્યું કે અકસ્માત પછી સગીરના દાદા અને પિતાએ ડ્રાઈવરનો ફોન કથિત રીતે લઈ લીધો અને તેને 19 મેથી 20 મે સુધી તેના બંગલના પરિસરમાં બંધક બનાવીને રાખ્યો હતો. ડ્રાઈવરની પત્નીએ તેને છોડાવ્યો હતો.

આ પહેલા શુક્રવારે સગીર આરોપીને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. સગીર રિયલ એસ્ટેટ ડેવલોપર વિશાલ અગ્રવાલનો પુત્ર છે. પોલીસે પહેલા જ વિશાલ અગ્રવાલની ધરપકડ કરી ચુકી છે. તેને કોર્ટે શુક્રવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.


પુનાના કલ્યાણી નગરમાં 19 મેના રોજ સગીરે તેની પોર્શે કારથી મોટરસાઈકલ સવાર બે સોફ્ટવેર એન્જિનિયરને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બંનેના મોત થઈ ગયા હતા. પોલીસે દાવો કર્યો છે કે સગીર નશાની સ્થિતિમાં કાર ચલાવી રહ્યો હતો. જોકે પછી સગીરને જામીન મળી ગયા હતા. તે પછીથી સમગ્ર દેશમાં આ મામલાની ચર્ચા શરૂ થઈ ગઈ અને પોલીસની ખૂબ જ નીંદા થઈ. તે પછીથી પોલીસે નવેસરથી કાર્યવાહી શરૂ કરી. શુક્રવારે જ બેદરકારીના આરોપમાં બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.