:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મમતાએ આપી ભાજપને ખુલ્લી ધમકી: બંગાળના CMએ કહ્યું- કાયમ બીજેપીની સરકાર નહીં રહે, આજે નહીં તો કાલે બદલો જરૂર લઈશ

top-news
  • 16 May, 2024

લોકસભા ચૂંટણી  2024 માટે ચાર તબક્કાનું વોટિંગ પુરું થઈ ગયું છે અને ત્રણ તબક્કા બાકી છે. એવામાં વિવિધ રાજકીય પક્ષો એક-બીજા પર હુમલાઓ કરી રહ્યાં છે. આ જ સીલસીલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી(બીજેપી) પર હુમલો કરતા કહ્યું કે બીજેપી સરકાર હમેશાં રહેશે નહીં, આજે નહીં તો કાલે તે ફેરફાર ચોક્કસ થશે. 

બંગાળના હલ્દિયામાં એક જનસભાને સંબોધતા સીએમ મમતા બેનર્જીએ બીજેપીને બદલો લેવાની ધમકી આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે નંદીગ્રામમાં તેમને હરાવવા માટે ચૂંટણીના પરિણામ બદલી નાંખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હું આજે નહિ તો કાલે બદલો લઈશ. બીજેપી, ઈડી, સીબીઆઈ દર વખતે ત્યાં નહિં રહે. 

ટીએમસી ચીફે કહ્યું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન નંદીગ્રામની ઘટનામાં મેં તમને લોકોને પહેલા જ કહ્યું છે, મારી સાથે છેતરપિંડી અને છળ કરવામાં આવી હતી. મારા વોટોને લૂંટી લેવાયા અને રિગિંગ પણ થયું. ચૂંટણી પહેલા ડીએમ, એસપી, આઈસીને બદલી નાંખવામાં આવ્યા હતા અને ચૂંટણી પરી થયા પછીથી લોડશેડિંગ કરીને પરિણામને બદલી નાંખવામાં આવ્યા હતા. હું આજે નહીં તો કાલે તેનો બદલો જરૂર લઈને જ રહીશ. હમેશાં બીજેપીની સરકાર રહેશે નહીં. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎