દિલ્હીની સરહદો પર ખેડૂતો-પોલીસ વચ્ચે અથડામણ : રાહુલ ગાંધીએ ઘાયલ ખેડૂતો સાથે ફોન પર વાત કરી...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14022024_071935_7872_NewProject61.jpg)
- 14 Feb, 2024
ખેડૂતો MSP ની કાયદાકીય ગેરેન્ટીની પોતાની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરવા સરહદ પર અડીખમ બેઠા છે. દેશભરના ખેડૂતો દિલ્હીની અલગ અલગ સરહદો પર આવીને દિલ્હીની અંદર ઘૂસવાના પ્રયનતો કરી રહ્યા છે, જ્યારે પોલીસ આ લોકોને પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
આ દરમિયાન આંદોલનકારી ખેડૂતો પર ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોય તેવું લાગી રહ્યું હતું. જેમાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ ઘાયલ ખેડૂતો સાથે ફોન પર વાત કરી હતી.
ખેડૂતો મંગળવારે સરહદ પર પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોને MSP પર કાયદાકીય ગેરંટી આપવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ખેડૂત ભાઈઓ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને દરેક પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે."
પહેલા શંભુ બોર્ડર પર અને પછી જીંદ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ બોર્ડર પર બનેલા ઓવરબ્રિજની રેલિંગ તોડી નાખી હતી.
હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય 22 માંથી 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતોની 2500 ટ્રેક્ટર ટ્રોલીઓ શંભુ સરહદે પહોંચી છે. જેમાંથી 800 ટ્રોલીઓમાં ખાદ્ય સામગ્રી, લાકડું અને પેટ્રોલ અને ડીઝલ લઈ જઈ રહ્યા છે. ખેડૂતો છેલ્લા બે મહિનાથી 'દિલ્હી ચલો' કૂચ માટે છ મહિનાથી વિરોધ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ